IRCTC : 7 જ્યોતિર્લિંગના કરી શકાશે દર્શન, ઈન્ડિયન રેલવે લઈને આવ્યું શાનદાર ટુર પેકેજ, 814 રૂપિયાની EMI ભરી કરો દર્શન,જાણો

ilovesurat
ilovesurat
ilovesurat
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

એક સાથે 7 જ્યોતિર્લિંગના કરો દર્શન, IRCTC લઈને આવ્યું દમદાર ટૂર પેકેજ

હિન્દુ ધર્મમાં ઘણા પવિત્ર ધાર્મિક સ્થળો છે. જેઓ વિશ્વાસ અને ધાર્મિક રૂપે ખૂબ મહત્વ ધરાવે છે. જે રીતે અમરનાથ યાત્રા, ચાર ધામ યાત્રા અને વૈષ્ણો દેવીની યાત્રા મહત્વપૂર્ણ છે. તેટલું જ મહત્વ જ્યોતિર્લિંગને જોવાનું છે. ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે. જે દેશના 8 રાજ્યોમાં છે. દર વર્ષે લાખ ભક્તો આ જ્યોતિર્લિંગની મુલાકાત લેવા જાય છે. બધા લોકો તેમના જીવનમાં આ બધા 12 જ્યોતિર્લિંગ જોવાની ઇચ્છા રાખે છે.જો તમારી પણ આવી જ ઈચ્છા હોય. તો પછી IRCTC નું આ ટૂર પેકેજ તમને તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં મદદ કરશે. જણાવી દઈએ કે IRCTC દ્વારા સાત જ્યોતિર્લિંગ દર્શન માટે વિશેષ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે.

IRCTC
ilovesurat

ચાલો તમને જણાવીએ કે આ પેકેજની કિંમત શું હશે અને તેમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે.IRCTC દ્વારા તમારા માટે એક વિશેષ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે. આ ટૂર પેકેજમાં, તમે સાત જ્યોતિર્લિંગને જોઈ શકશો. આમાં, તમને ઉજ્જૈન, ગુજરાત, નાસિક, પુણે અને ઓરંગાબાદની જ્યોતર્લિંગની મુલાકાત લેવાની તક મળશે. ભારતીય રેલ્વે દ્વારા IRCTC ના આ ટૂર પેકેજ માટે એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે, જેનું નામ ભારત ગૌરવ યાત્રા ટ્રેન રાખવામાં આવ્યું છે.જણાવી દઈએ કે આ ટૂર પેકેજ 11 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ચાલશે.

ilovesurat
ilovesurat

જેમાં ભક્તો ઉજ્જૈનનું મહાકાલેશ્વર અને ઓમકાલેશ્વર, ગુજરાતનું સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને સિગ્નેચર બ્રિજ, નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, પંચવટી અને કાલારામ મંદિર, પુણેનું ભીમાશંકર જ્યોતિર્લિંગ, અને ઔરંગાબાદનું ધૂનેશ્વરે જ્યોતિર્લિંગ અને સ્થાનિક મંદિરોના દર્શન કરી શકશો.IRCTC નું જ્યોતિર્લિંગટૂર પેકેજ રૂષિકેશ, હરિદ્વાર, મુરાદાબાદ, બરેલી, શાહજહાનપુર, હરદોઇ, લખનૌ, કાનપુર, ઓરાઈ, ઝાંસી અને લલિતપુરથી ઉપલબ્ધ રહેશે. એટલે કે, તેમના બુકિંગ મુજબ, ભક્તો આ સ્ટેશનોના કોઈપણ સ્ટેશનોથી ટ્રેનમાં સવાર થઈ શકે છે. આ પેકેજની ત્રણ કેટેગરીઝ તેમાં રાખવામાં આવે છે, આરામ, સેકન્ડ સ્ટાન્ડર્ડ અને સ્લીપર કેટેગરી.

ilovesurat
ilovesurat

આરામ કેટેગરીમાં ડીલક્સ હોટલો જેમાં એસી રૂમમાં મળશે. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન આપવામાં આવશે. આ સિવાય, ફરવા માટે AC બસ પણ મળશે. આ માટે માથાદીઠ ભાડું 52,200 રૂપિયા હશે.સ્ટાન્ડર્ડ કેટેગરીમાં યાત્રીઓને AC રૂમ, સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું શાકાહારી ભોજન મળશે. ફરવા માટે NON-AC બસ મળશે. વોશ એન્ડ ચેન્ગ માટે NON-AC હોટેલ ડશે. આ માટે માથાદીઠ ભાડું 39,550 રૂપિયા હશે. સ્લીપર કેટેગરીમાં NON-AC હોટેલ, નાસ્તો, બપોર અને રાતનું વેજ ભોજન મળશે. આ સિવાય, ફરવા માટે નોન-એસી બસ આપવામાં આવશે. આ કેટેગરી માટે માથાદીઠ ભાડું 23,200 રૂપિયા હશે.

ilovesurat
ilovesurat

જણાવી દઈએ કે IRCTCની તરફથી 814 રૂપિયા EMI ની સુવિધા પણ મળશે.આ પેકેજને તમે

ઓનલાઈન IRCTC ની વેબસાઈટ www.irctctourisam.com પર જઈ બુકિંગ કરી શકો છો. જે લોકો આ યાત્રાનું બુકિંગ કરવા માંગે છે. તે લખનઉના ગોમતી નગરમાં IRCTC ની ઓફિસ જઈને પણ બુક કરી શકે છે.

સરકારી યોજના કે ભરતીની માહિતી જાણવા માટે નીચે આપેલી અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *