ilovesurat : ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ સ્થિતિ વધુ તણાવયુક્ત થઈ છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને ખોટી અફવાઓથી ના ભરમાવવા અપીલ કરવામાં આવી છે. યુદ્ધ સ્થિતિ દરમિયાન તમામ નાગરિકો શાંતિ અને સલામતી જાળવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. યુદ્ધની પરિસ્થિતિ પર વહીવટી તંત્રની ચાંપતી નજર છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક બોલાવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરશે બેઠક. સવારે 10.30 વાગ્યે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરશે.અન્ય જિલ્લાઓમાં સ્થિતિ-સતર્કતા સંદર્ભે ચર્ચા કરાશે.
હવે વહીવટીતંત્ર સજ્જ :
ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રુમ ખાતે હાજર થયા હતા. પરિસ્થિતિને નિયંત્રણ લેવા માટે જરુરી પગલાં માટે તંત્ર સજ્જ. કલેક્ટર, મ્યુ. કમિશનર, SP દ્વારા પરિસ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કરાયો હતો.
સુરતમાં વોર રૂમ શરૂ કરાશે
ilovesurat : યુદ્ધ સ્થિતિને પગલે રાજ્યમાં તમામ શહેરોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન સુરત શહેરમાં ‘વોર’ રૂમ શરૂ કરાશે. ‘વોર’ રૂમ સાથે સુરત CP સીધી રીતે જોડાયેલા રહેશે. આજે નાગરિક સુરક્ષા માટે બેઠકનું આયોજન કરાશે. ‘વોર’ રૂમથી સીધો કેન્દ્ર સરકારનો સંપર્ક કરવામાં આવશે. તેમજ ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળ સાથે સંપર્ક કરી શકાશે. N.C.C, NSSના કાર્યકરો સાથે બેઠક યોજાશે. રાજ્યની મોટી હોસ્પિટલો પણ એલર્ટ મોડમાં છે. મોટી હોસ્પિટલમાં દવાનો સ્ટોક ચેક કરાયો. ઈમરજન્સી સમય માટે જનરેટર, ડીઝલની વ્યવસ્થા. મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પૂરી થઈ. હોસ્પિટલોમાં ત્રણ મહિના સુધી ચાલે તેટલો દવાનો સ્ટોક કરવામાં આવ્યો. હોસ્પિટલમાં વીજળી જાય તો પણ લોકોને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી.