Surat : દલાલમાંથી વેપારી બનેલા નૈત્રીડાયમંડના મહેશ લાખાણીનું ૩.૧૪ કરોડમાં ઉઠમણું થયું છે, સાત વેપારીઓ પાસેથી ઉધાર પેટે હીરા ખરીદીને રૂ.૨.૧૪ કરોડની રકમ ચૂકવી ન હતી જેના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, મહિધરપુરા જદાખાડીમાં વર્ષોથી દલાલી કર્યા બાદ પુત્ર અને ભાગીદાર સાથે મળી નેત્રી ડાયમંડના નામે Surat માં પેઢી શરૂ કરનાર મહેશ લાખાણીની કરોડોના ઉઠમણાની બૂમ વચ્ચે મંગળવારે ક્રાઈમ બાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી હતી.
હીરા છેતરપિંડીને લઈ સાત વેપારીઓએ ફરિયાદ નોંધી –
સાત વેપારીઓએ ૩.૧૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેના પુત્ર અને ભાગીદારને પણ દબોચી લીધા હતા. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સિંગણપોર શુકન રિવેરામાં રહેતા મહેશ અંબારામભાઈ કાનાણી (મુળ રહે. બલદાણા, જિ.સુરેન્દ્રનગર) વેડરોડ પંડોળ ઈન્ડસ્ટ્રીઝમાં વણીરાજ જેમ્સના નામે હીરા પેઢી ધરાવે છે. મહિધરપુરા જદાખાડીમાં હીરાદલાલી કરતા મહેશ ધનજી લાખાણી (રહે. કર્ણાવતી રો-હાઉસ, હરિદર્શનનો ખાડો, ડભોલી, મુળ રહે. શિયાનગર, જિ. બોટાદ)ને વર્ષોથી ઓળખે છે.
16મી ફેબ્રુઆરી-2025 ના સમયગાળામાં જ 1.90 કરોડનો હીરાનો માલ બે દલાલને આપ્યો હતો
હીરા વેચતો એ વ્યક્તિ મહેશ લાખાણી 2021 થી મહેશભાઈ કાનાણી પાસેથી હીરા લેતો હતો.મહેશભાઈના પુત્ર જૈમીએ જણાવ્યું કે, મહેશભાઈએ તેના મિત્ર તરુણ સાથે નૈત્રી ડાયમંડ નામનો હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેઓ પારસ બિલ્ડીંગ નામની બિલ્ડીંગમાં સાથે કામ કરતા હતા. કારણ કે મહેશભાઈને તેમના પર ઘણો વિશ્વાસ હતો, તેમણે વર્ષોથી તેમની સાથે ઘણા હીરાનો વેપાર કર્યો. 23 જાન્યુઆરીથી 16-25 ફેબ્રુઆરીની વચ્ચે મહેશભાઈએ આ મિત્રોને લગભગ 1.9 કરોડ રૂપિયાના હીરા (જે ઘણા પૈસા છે) આપ્યા હતા. આ હીરા અન્ય બે શખ્સો હિતેશ અને સાગર દ્વારા અપાયા હતા. પરંતુ મહેશભાઈને પૈસાનો થોડો ભાગ જ પરત મળ્યો હતો.

તેઓએ 1.04 કરોડની ચોરી કરી હતી જે ચૂકવવામાં આવી ન હતી
ઉઘરાણી માટે કોલ કરવામાં આવતા કે મળવામાં આવતાં તરુણ સાથે ભાગીદારી છૂટી કરવામાં આવી હોવાનું જણાવી પેમેન્ટ માટે ખો અપાતો હતો. મહેશ લાખાણીનો ભોગ બનેલા surat ના સાત વેપારીઓએ પણ ૨.૧૪ કરોડના હીરા ગુમાવ્યા હોવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનરને મળ્યા હતા. પોલીસ કમિશનરે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી હતી. પોલીસે ૩.૧૪ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણેયને દબોચી લીધા હતા. ઈન્સ્પેક્ટર વી.વી. વાગડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.